ऊपर हे चाँद, नीचे वृक्ष ये तमाम,
मेरे बाबा सुलाये अपने पंखो मे छुपाये,
आंखे नींद को बुलाये बाबा लोरी ये गए,
वो पवन गुनगुनाये नींद झूला झुलाए,
ताकि ये परी सो जाये,
नींद झूला झुलाए, नींद झूला झुलाए.
                     —- “નોહા” — NOAH-2014

                હર ચીઝ કા અંત, એક શુરૂઆત, હર ચીઝ કી શુરૂઆત. પવિત્ર ગ્રંથ બાઇબલ અનુસાર આ સૃષ્ટિના અંતે કોણ બચી શકવાને લાયક છે? બેશક તેમાં સર્વપ્રથમ નામ માનવ સભ્યતાનું તો નથી જ. કારણ કે આ ધરતી ને બગાડનાર બીજું કોઈ નહીં પણ માનવો જ છે. છતાં પણ “નોહા” મૂવી જોયા બાદ અને તેમાં દર્શાવ્યું છે તે પ્રમાણે અને કદાચિત આપણાં ભગવાન, અલ્લાહ, ગોડ, સર્જનહાર, રચયતા કે કુદરતે અમુક માનવો ને સૃષ્ટિના મતલબ કે આ ધરતીના અંત પછી પણ જીવિત રહેવા દેવાને લાયક સમજ્યા છે કે તેઓ હર ચીઝ કી એક શરૂઆત કરી શકે.
                મે થોડા સમય આગાઉ ફેસબુક પર એક લિન્ક શેર કરેલી અને મોબાઇલમાંથી મેસેજ પણ અમુક લોકોને કરેલા. “SAVE OUR TWISHA”, “WWW. TWISHAMAKWANA.COM”. અત્યારે જે પ્રમાણે ગણેશ ચોથ ના દિવસે જે રીતે વેરાવળમાં (અને અન્ય શહેરોમાં પણ) ગણપતિજીની મુર્તિ પાછળ આટલા પૈસાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે જોતાં ખરેખર એવું લાગી રહ્યું છે કે અંધશ્રદ્ધાની નવી શરૂઆત થઈ ચૂકી છે. અમુક-અમુક સ્થળોએ લોખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે આ દિવસોમાં.   
                        હું એ પૂછવા માંગુ છું કે તમે જે રીતે ભગવાનની મૂર્તિની પાછળ આટલો ખર્ચ કરો છો શું તેના જ સ્વરૂપે આવેલા બાળકને બચવવા માટે કેટલો ખર્ચ કરવા માટે તૈયાર છો? તમારા પોતાના બાળકને બચવવા માટે તો બધા તૈયાર થશે પણ જો માનવ સભ્યતાના નામે કોઈને બચવવા પાછળ પૈસા ખર્ચવાની જરૂર પડે તો તમે કેટલો સહયોગ આપશો? કાઇં વાંધો નહીં આમાં સહયોગ આપો કે ના આપો. બીજો પ્રશ્ન જે પણ ભગવાનની તમે પૂજા-અર્ચના-પ્રાથના કરો છો અથવા અત્યારે કરી રહ્યા છો. શું તેઓએ કહ્યું છે કે મારી પૂજા કર્યા બાદ તમ-તમારે દારૂનું સેવન કરજો, મટન કે મચ્છી ખાજો? શું આવું કાઇં કહ્યું છે? મને તો નથી લાગતું આવું કાઇ કહ્યું હોય. એક્ચ્યુલી આમાં પણ એક બીજો રસ્તો શોધ્યો છે માનવોએ. અમુક લોકો એવું કરે છે કે અમુક દિવસો દરમિયાન આવા ગણેશ ચતુર્થીના દીવસો હોય ત્યારે પોતાના ઘરમાં મચ્છી ના ખાઈ કે દારૂનું સેવન ના કરે. વાવ કેટલું સરસ કહેવાય આપણે ધીરે-ધીરે ભગવાનને પણ બેવફુક કેવી રીતે બનાવવા તે શીખી ગયા. આમાં બધા લોકોની વાત નથી આવતી. અમુક જ લોકો એવા છે જેના દેખાડવાના દાંત અલગ અને ચાવવાના દાંત અલગ હોય છે.

વેરાવળમાં ગણપતીજીની મુર્તિ બહાર રોડ પર ફૂટપાથ પર ભાવમાં રક-જક કરીને પછી ખરીદી કરાય છે અને
આપણે પહેરવાના ઘરેણાં-દાગીના તે તેજોરીમાં છુપાવીને રાખવા પડે છે અને ત્યાં કાઇ રક-જક પણ નથી થતી.